(N/A) $\Rightarrow$ મનુષ્યો સહિતના તમામ પ્રાણીઓ તેમના ખોરાક માટે વનસ્પતિઓ પર આધાર રાખે છે. લીલી વનસ્પતિઓ પોતાને જરૂરી ખોરાકનું સંશ્લેષણ કરે છે અને અન્ય તમામ સજીવો તેમની જરૂરિયાતો માટે તેમના પર નિર્ભર રહે છે.
$\Rightarrow$ લીલી વનસ્પતિઓ 'પ્રકાશસંશ્લેષણ' (photosynthesis) કરે છે,જે એક ભૌતિક-રાસાયણિક પ્રક્રિયા છે જેના દ્વારા તેઓ કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે છે.
$\Rightarrow$ લીલી વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે,તેથી તેઓ સ્વયંપોષી (autotrophs) છે,જ્યારે અન્ય સજીવો પરપોષી (heterotrophs) છે.
$\Rightarrow$ આમ,પૃથ્વી પરના તમામ સજીવો ઉર્જા માટે સૂર્યપ્રકાશ પર આધાર રાખે છે. પ્રકાશસંશ્લેષણ દ્વારા વનસ્પતિઓ દ્વારા સૂર્યપ્રકાશની ઉર્જાનો ઉપયોગ એ પૃથ્વી પરના જીવનનો આધાર છે.
$\Rightarrow$ પ્રકાશસંશ્લેષણ બે કારણોસર મહત્વપૂર્ણ છે:
$(A)$ તે પૃથ્વી પરના તમામ ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત છે.
$(B)$ તે લીલી વનસ્પતિઓ દ્વારા વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરવા માટે પણ જવાબદાર છે,જે તમામ સજીવોના શ્વસન માટે અનિવાર્ય છે.